આણંદના બાજીપુરા ગામે સરપંચ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત

હિન્દ ન્યુઝ, આણંદ 

આણંદના ઉમરેઠ તાલુકાના બાજીપુરા ગામે સરપંચ વિરુધ્ધ 9 સભ્યોમાથી 7 સભ્યો દ્વારા અવિશ્વાસ નો પ્રસ્તાવ તલાટી ને સુપ્રત કરવામાં આવ્યો છે.

આણંદના બાજીપુરા ગામના પંચાયતના સભ્યો દ્વારા સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ છે. પંચાયતના અસંતુષ્ટ સભ્યો દ્વારા ગામમાં મહિલા સરપંચ છે અને વહીવટ તેમના પતિ કરે છે એવો આક્ષેપ સભ્યો અને ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું કે તલાવ, રોડ રસ્તા ગામતળના વૃક્ષો,તેમજ અન્ય કામોમાં ભ્રષ્ટાચાર થયો એવું લાગી રહ્યું છે તેમજ સભ્યો દ્વારા જણાવાયું કે ધણા કામો અમને જાણ બહાર કરેલ છે.

આણંદ જિલ્લા બ્યુરોચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment